- સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાયના) અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ પાસે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત વર્ષ ૨૦૨૨-૨૩
- વર્ષ ૨૦૨૨માં ધો. ૧૦ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થનાર અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય) યોજના હાલ અમલમાં છે.
- આ યોજના હઠળ સહાય આપવા માટે નીચેની શરતોને આધીન ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં પાત્રતા ધરાવતા અનુસૂચિત જાતિનાં ફ્રેશ વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓએ https://esamajikalyan.gujarat.gov.inપર તા. ૧૨/૦૮/ ૨૦૨૨ થી તા. ૩૦/૦૯/૨૦૨૨ સુધી ઓનલાઈન અરજીઓ કરી શકશે.
- આ યોજનામાં સહાય મેળવવા માટેની શરતો નીચે મુજબ રેહશે.
- માર્ચ-૨૦૨૨માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦નું પરીણામ જાહે૨ ક૨વામાં આવેલ છે. જે અંતર્ગત પ્રથમ પ્રયત્ને ૭૫% કે તેથી વધુ ગુણ મેળવી પાસ થનાર અને ધો. ૧૧ સામાન્ય પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ સિવાય)ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ અરજી કરી શકશે.
- ઓનલાઈન આવેલ અરજીઓ પૈકી ટકાવારીના ધોરણે પ્રથમ ૧૦૦ વિદ્યાર્થીઓનો મેરીટ લીસ્ટમાં સમાવેશ કરીને સહાય આપવામાં આવશે.
- આ યોજનામાં આવક મર્યાદા રૂ. ૪,૫૦,૦૦૦/- (અંકે ચાર લાખ પચાસ હજાર પુરા) રહેશે.
- (વિજ્ઞાન પ્રવાહ સિવાય) સામાન્ય પ્રવાહમાં ધોરણ-૧૧માં રૂ. ૮,૦૦૦/- અને ધોરણ-૧૨માં રૂા. ૪,૦૦૦/- શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય મળવા પાત્ર
- જેમને ધો. ૧૧માં સહાય મળેલ હોય તેઓને જ ધોરણ-૧૨માં સહાય આપવામાં આવશે.
- ૭૫%થી ઓછા ગુણ (ટકા) મેળવનાર વિદ્યાર્થીઓએ અરજી કરવી નહીં. (પર્સન્ટાઇલ રેન્ક ધ્યાને લેવામાં આવશે નહીં.) જેની ખાસ નોંધ લેવી દરેક અરજદારે.
- ખાનગી ટ્યુશન વર્ગમાં કે ખાનગી શિક્ષક પાસે ટ્યુશન લીધા અંગેની પાકી રસીદ/પહોંચ રેવન્યુ સ્ટેમ્પવાળી અપલોડ કરવાની રહેશે.
- આ શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના 2022 પોસ્ટની મુલાકાત લેવા બદલ આપનો આભાર, વધુ ઉપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.
0 Comments